ભારત સરકારની આ યોજનામાં મળશે ₹.3 લાખ સુધીની લોન, જાણો અરજી કરવાની રીત સહિત તમામ માહિતી

PM Vishwakarma Kaushal Samman Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના સપ્ટેમ્બર 2023 માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં લાખો પાત્ર લોકો આ યોજનામાં નોંધાયેલા છે અને તેનો લાભ લઈ રહ્યા છે.

PM Vishwakarma Kaushal Samman Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના સપ્ટેમ્બર 2023 માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં લાખો પાત્ર લોકો આ યોજનામાં નોંધાયેલા છે અને તેનો લાભ લઈ રહ્યા છે.

author-image
Rakesh Parmar
New Update
PM vishwakarma yojana

પીએમ વિશ્વકર્મા યોજના. Photograph: (સોશિયલ મીડિયા)

PM Vishwakarma Kaushal Samman Yojana: હાલમાં દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. જો તમે કોઈ એક માટે લાયક છો તો તમે તેમાં જોડાઈ શકો છો. ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિશે જાણી લો.

Advertisment

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને સપ્ટેમ્બર 2023 માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં લાખો પાત્ર લોકો આ યોજનામાં નોંધાયેલા છે અને તેનો લાભ લઈ રહ્યા છે. પરંતુ શું તમે તપાસ્યું છે કે તમે આ યોજનામાં જોડાઈ શકો છો કે નહીં? જો નહીં તો તમારે તમારી પાત્રતા તપાસવાની જરૂર છે અને જો તમે લાયક છો તો તમે અરજી કરી શકો છો અને આ યોજનામાં જોડાઈ શકો છો. ચાલો જાણીએ કે આ યોજનામાં કોણ પાત્ર હોઈ શકે છે.

તમે યોજનામાં કેવી રીતે જોડાઈ શકો છો?

  • પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવાની બે રીત છે: ઓનલાઈન અને ઓફલાઈન.
  • ઓનલાઈન અરજી કરવા માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ, https://pmvishwakarma.gov.in/ ની મુલાકાત લેવાની જરૂર છે.
  • જો તમારે ઓફલાઈન અરજી કરવાની જરૂર હોય તો તમે તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.

આ યોજનામાં કોણ જોડાઈ શકે છે?

  • પથ્થર કોતરનારા
  • શિલ્પકારો
  • ધોબી અને દરજી
  • મોચી/ચપ્પલ અને જુતા બનાવનારા
  • વાળંદ (વાળ કાપનાર)
  • સસ્ત્રો બનાવનારા
  • પથ્થર તોડનારા
  • ટોપલી/ચટાઈ/સાવરણી બનાવનારા
  • ઢીંગલી અને રમકડા બનાવનારા
  • બોટ બનાવનારા
  • લુહાર
  • તાળા બનાવનારા
  • માછીમારી જાળી બનાવનારા
  • હથોડી અને ટૂલકિટ બનાવનારા
  • ફુલહાર બનાવનારા
  • કડીયા (મકાન બનાવનારા)
Advertisment

ફાયદા શું છે?

  • આ યોજનામાં જોડાયા પછી તમને થોડા દિવસની અદ્યતન તાલીમ મળે છે, જેના માટે તમને તાલીમ ચાલુ રહે ત્યાં સુધી ₹500 નું દૈનિક સ્ટાઈપેન્ડ મળે છે.
  • ₹15,000 નું ટૂલકિટ પ્રોત્સાહન આપવામાં આવે છે.
  • તમારા કામ શરૂ કરવા માટે શરૂઆતમાં તમને 18 મહિના માટે ₹1 લાખની લોન આપવામાં આવે છે.
  • પછી તમે 30 મહિના માટે ₹2 લાખની વધારાની લોન લઈ શકો છો.
  • આ બંને લોન સસ્તા વ્યાજ દરે મળે છે.
india દેશ સરકારી યોજના