આજનો ઇતિહાસ 5 એપ્રિલ : ભારતમાં 'નેશનલ મેરીટાઇમ ડે'ની ઉજવણી, બાબુ જગજીવન રામની જન્મજયંતિ એટલે 'સમતા દિવસ'

Today history 5 April : આજે 5 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ મેરીટાઇમ ડે છે. તો ભારતના ઉપ વડાપ્રધાન બાબુ જગજીવન રામનો જન્મજયંતિ છે, તેને સમતા દિવસ છે. આજના દિવસે અભિનેત્રી દિવ્યા ભારતી, ગુજરાતના મહાન સાહિત્યકાર પન્નાલાલ પટેલનું નિધન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today history 5 April : આજે 5 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ મેરીટાઇમ ડે છે. તો ભારતના ઉપ વડાપ્રધાન બાબુ જગજીવન રામનો જન્મજયંતિ છે, તેને સમતા દિવસ છે. આજના દિવસે અભિનેત્રી દિવ્યા ભારતી, ગુજરાતના મહાન સાહિત્યકાર પન્નાલાલ પટેલનું નિધન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
national Maritime Day

5 એપ્રિલના રોજ ભારતમાં નેશનલ મેરીટાઇમ દિવસ ઉજવાય છે.

Today history 5 April : આજે 5 એપ્રિલ 2023 (5 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ મેરીટાઇમ ડે (National Maritime Day) છે. તો ભારતના ઉપ વડાપ્રધાન બાબુ જગજીવન રામનો (Jagjivan Ram) જન્મજયંતિ છે, તેને સમતા દિવસ (Samta Diwas) છે. ઉપરાંત આજના દિવસે અભિનેત્રી દિવ્યા ભારતી (divya bharti), ગુજરાતના મહાન સાહિત્યકાર પન્નાલાલ પટેલનું (pannalal patel) નિધન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (5 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment
આજનો ઇતિહાસ

5 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1975 - સાઉદી અરેબિયાના રાજા ફૈઝલની હત્યા થઇ.
  • 1999 - ઈરાકમાં વાયગ્રા પર પ્રતિબંધની જાહેરાત, 'હેન્દ્રા' નામના વાયરસથી બચવા માટે મલેશિયામાં 8 લાખ 30 હજાર ભૂંડોની સામૂહિક હત્યા કરવામાં આવી.
  • 2001 - જાસૂસી વિમાન કેસમાં અમેરિકા નમતું ઝોક્યું, ચીનની માફી માંગી, સંયુક્ત રાષ્ટ્રની ટીમ મિલોસેવિકની ધરપકડ કરવા બેલગ્રેડ પહોંચી.
  • 2002 - ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ વચ્ચે મોર-કલાવા-મંડલે રોડ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સહમતિ.
  • 2003 - અમેરિકાની સંસદમાં પાકિસ્તાનની નાણાકીય સહાયમાં કાપ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
  • 2006 - સિંગાપોરમાં ઇમિગ્રેશનના અપરાધમાં 45 ભારતીયોની ધરપકડ કરવામાં આવી.
  • 2007 - ઈરાને 15 બ્રિટિશ નેવી સૈનિકોને મુક્ત કર્યા.
  • 2008 - પાર્વતી ઓમાનકુટ્ટન ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ બની. ઈરાકમાં આત્મઘાતી હુમલામાં 9ના મોત. અફઘાનિસ્તાનમાં ભારતીય સિરિયલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
  • 2010 - ભારતના છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓના અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલામાં 73 CRPF જવાનો શહીદ થયા હતા.
  • પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે ડિસેબિલિટી પેન્શનના દાવા પર ચુકાદો આપતાં કહ્યું હતું કે સેના સાથે જોડાયેલા લોકોની રજા દરમિયાન જો કોઈ દુર્ઘટના થાય છે, તો તેમને ફરજ પર ગણવા જોઈએ.

આ પણ વાંચોઃ 4 એપ્રિલ : જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ, વિશ્વ ઉંદર દિવસ

નેશનલ મેરીટાઇમ દિવસ

દર વર્ષે 5 એપ્રિલના રોજ ભારતમાં નેશનલ મેરીટાઇમ (National Maritime Day) એટલે રાષ્ટ્રીય દરિયાઇ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતની ત્રણ બાજુની સરહદો દરિયો અને આ બાબતને ધ્યાનમાં રાખતા દરિયાઇ સુરક્ષા દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઇ છે. તમને જણાવી દઇયે કે, વર્લ્ડ મેરીટાઇમ ડે અને નેશનલ મેરીટાઇમ ડે બંને અલગ-અલગ દિવસે ઉજવાય છે. વર્લ્ડ મેરીટાઇમ ડે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા ગુરુવારે ઉજવાય છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય દ્વિપટાપુઓની વ્યાવસાયિક અને અર્થવ્યવસ્થા અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ ઉજવાય છે.
ભારતમાં નેશનલ મેરીટાઇમ ડેની વર્ષ 1964માં પહેલીવાર ઉજવણી કરવામાં આવી હતી. જો કે ભારતમાં સ્વદેશી જહાજ પરિવહનની વ્યવસ્થા હકીકતમાં 5 એપ્રિલ, 1919ના રોજ થઇ હતી, જ્યારે સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની લિમિટેડે પોતાનું પહેલું જહાજ એસએસ લોયલ્ટી દરિયામાં ઉતરાયું હતું, તે બારતનું પહેલી સ્વદેશી જહાજ માનવામાં આવે છે.

Advertisment

આ પણ વાંચોઃ 3 એપ્રિલનો ઇતિહાસ : 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ફીલ્ડ માર્શલ સામ માણેકશાનો જન્મદિન

સમતા દિવસ

ભારતમાં દર વર્ષે 5 એપ્રિલના રોજ સમતા દિવસ ઉજવવામાં આવે છે. બાબુ જગજીવન રામ, જેમને 'બાબુજી' તરીકે સંબોધવામાં આવ્યા હતા, તેમના જન્મદિવસને 'સમાનતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. બાબુ જગજીવન રામ વર્ષ 1979માં ભારતના ઉપ વડાપ્રધાન બન્યા.

બાબુ જગજીવન રામનો જન્મ 5 એપ્રિલ, 1908ના રોજ બિહારના ભોજપુરના ચંદવા ગામમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીજીથી બહુ પ્રભાવિત હતા. લગભગ 50 વર્ષના સંસદીય જીવનમાં રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને વફાદારી અજોડ છે. તેમનું સમગ્ર જીવન રાજકીય, સામાજિક સક્રિયતા અને વિશિષ્ટ સિદ્ધિઓથી ભરેલું છે. જગજીવન રામે સદીઓથી શોષિત અને અત્યાચારનો ભોગ બનેલા દલિતો અને મજૂરોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કરેલી કાયદાકીય જોગવાઈઓ ઐતિહાસિક છે. જગજીવન રામ એક એવું વ્યક્તિત્વ હતું જેમણે ક્યારેય અન્યાય સાથે સમાધાન કર્યું ન હતું અને હંમેશા દલિતોના સન્માન માટે લડ્યા હતા. વિદ્યાર્થી જીવનથી જ તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. ભારતમાં સંસદીય લોકશાહીના વિકાસમાં બાબુ જગજીવન રામનું મોટું યોગદાન છે. આવા મહાન સમાજસેવી અને રાજનેતાનું અવસાન 6 જુલાઇ, 1986ના રોજ થયુ હતું.

આ પણ વાંચોઃ 2 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ, અજય દેવગનનો બર્થ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગુરુ અમરદાસ (1479) - શીખ ધર્મના ત્રીજા ગુરુ, જેમની 73 વર્ષની ઉંમરે ગુરુ બનાવવામાં આવ્યા હતા.
  • જગજીવન રામ (1908) - રાજકારણી, સામાજિક કાર્યકર, સંસદસભ્ય અને કેબિનેટ મંત્રી તરીકે જીવનભર દેશની સેવા કરી.
  • રફીક ઝકરિયા (1920) - રાજકારણી
  • મો. ઉસ્માન આરીફ (1923) - ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને કેન્દ્રીય બાંધકામ અને આવાસ મંત્રાલયમાં નાયબ મંત્રી હતા.
  • દિવાકર શર્મા (1933) - સંસ્કૃત, હિન્દી અને રાજસ્થાની ભાષાઓના વિદ્વાન હતા.
  • હુકુમ સિંહ (1938) - એક ભારતીય રાજકારણી અને હરિયાણાના મુખ્યમંત્રી હતા.
  • કે. રહેમાન ખાન (1939) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • અનુ ગર્ગ (1967) - ભારતીય-અમેરિકન લેખક અને વક્તા.
  • રવીન્દ્ર પ્રભાત (1969) - ઇન્ટરનેટ પર સક્રિય લેખકોમાં અગ્રણી અને પ્રખ્યાત વ્યક્તિ.
  • અતનુ દાસ (1992) - એક ભારતીય તીરંદાજ છે જેણે વર્ષ 2008માં તેની તીરંદાજ તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 1 એપ્રિલ : ઓડિશા સ્થાપના દિન, RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • દિવ્યા ભારતી (1993) - અભિનેત્રી
  • પન્નાલાલ પટેલ (1989) - ગુજરાતી ભાષાના જાણીતા લેખક હતા.
  • સી.એફ. એન્ડ્રુઝ (1940) - એક ખ્રિસ્તી મિશનરી, શિક્ષણશાસ્ત્રી અને ગાંધીજીના સહાયક હતા.
  • પંડિતા રમાબાઈ (1922) - પ્રખ્યાત ભારતીય વિદ્વાન મહિલા અને સમાજ સુધારક.

આ પણ વાંચો- 31 માર્ચનો ઇતિહાસ : એફિલ ટાવર દિવસ, ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની જન્મજયંતિ

આજના દિવસનો ઇતિહાસ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ કરિયર